મહારાજ ધનુરસેનને ત્યાં રાજ્યાભિષેક થવાનો અવસર આવી ગયો. મહારાજ ધનુરસેન પોતાના રાજપાટ પર બેસીને અભિમાનીની આંખે સૌ તરફ નજર માંડી. એકાએક એની નજર કાગડા તરફ મંડાઈ. કાગડો પણ તેને એકીટશે જોવા લાગ્યો. " સૈનિકો, મહેલમાંથી આ કાગડાને બહાર જંગલ માં મૂકી આવો. "- મહારાજ ધનુરસેનએ આજ્ઞા કરી. બાજુમાં બેઠેલ મહેતાજી બોલ્યા- " મહારાજ, ત્યાં કાગડો નથી. માત્ર વાજિંત્રો રાખ્યા છે. " મહારાજ ધનુરસેન વિચારે ચડી ગયા. એકાએક આંખમાં અગન જ્વાળા ફૂટી અને આજ્ઞા સાથે બોલ્યા- " મનજી કાનજી સરવૈયા હજાર હો ! "
~ જુલી સોલંકી
Great superbbb
જવાબ આપોકાઢી નાખો